આવી કોઈ પણ વ્યક્તિ આ રીતે જતી રહે ત્યારે ઘણાં બધા સવાલો મનમાં ઉભા થાય. શિસ્તબદ્ધ, વ્યસન વગર જીવેલી વ્યક્તિને ગંભીર બીમારી કઈ રીતે થાય? પ્રમાણિકતાથી જીવેલી વ્યક્તિને આટલી પીડા જોવાની કેમ આવે? મેડીકલી જોઈએ કે ભગવાન/ધર્મ/કર્મની રીતે… કોઈ રીતે ના સમજાય.
મારી ભગવાન પરથી શ્રદ્ધા ઉઠી જવાના આવા ૧૦૦૦ કારણો હતા. કેટલાય કિસ્સાઓમાં જોયું, તદ્દન રેળબફેળ જીવેલો માણસ સ્વસ્થતાથી ૮૦એ પહોંચે, કોઠાકબાડા કર્યા હોય તેને રોગ/બીમારી ના થાય. ખાવા-પીવામાં માપે, જીવવામાં શિસ્ત, ફીઝીકલ એક્ટીવીટી, પોઝીટીવીટી, ડેડીકેશન, પ્રામાણિકતાથી જીવેલી વ્યક્તિ વહેલી જતી રહે. ચાલો! માની લઇએ કે બધાએ જવાનું જ છે, એમાં કશું વહેલું મોડું નથી પણ સારી રીતે, તકલીફ વગર જાય તો સારું ને? મોત ટાળી ના શકાય પણ પીડા વગરનું મોત તો કોઈ માટે ઈચ્છી શકાય ને??
પરિકરજીની ઉંમર નાની ના કહી શકાય પણ ૮૦ વર્ષ
સ્વસ્થતાથી જીવી શકે તેવું જીવ્યા હોય અને આ રીતે હેરાન થઈને જાય તે ના ગમે. આમાં
નથી મેડીકલ સાયન્સ એટલે કે ડોકટર્સની થીઅરી આ રીતે જીવો, આવું ખાવ-પીવો, આટલું વજન
મેઈનટેઈન કરો વિગેરે કામ જ નથી કરતા એવું લાગે તો સામે આપણી કાયમી માન્યતા
સાચ્ચી-સારી રીતે પ્રમાણિકતાથી જીવો, ખોટું કરો નહીં અને ચલાવો નહીં, તમારા ભાગે
આવતું કામ ખુબ સારી રીતે કરો વાળી કર્મના સિદ્ધાંતની થીઅરી લગાવો… કોઈ પણ રીતે
વાત ગળે ના ઉતરે.
ખેર, આ કંઈ પહેલી કે છેલ્લીવાર નથી બન્યું. જીવનના રહસ્યો અકળ છે અને આપણે પામર
છીએ.
પરિકરજી મારા જેવા કેટલાય લોકો માટે પ્રેરણારૂપ રહ્યા છે, તેમને શાંતિ પ્રાપ્ત
થાઓ.
નોંધ: પરિકરજી, કોઈક પ્રસંગે લાઈનમાં ઉભા છે તે ફોટો આ સાથે શેર કરું છું જે તેઓ ગોવાના ચીફ મીનીસ્ટર હતા ત્યારનો છે.
ખરેખર એક એવું વ્યક્તિત્વ જેને જાણ્યા પછી કોઇપણને તેમના માટે માન થઇ આવે,
અને જે લાઈનમાં ઉભા છે તે ફોટો ઇલેક્શનમાં વોટીંગ ટાઇમનો છે.
LikeLike